રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન
વાંકાનેર: હઝરત સુફી સંત પીર સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.) સુન્ની, હનફી, હુસૈની, ચિશ્તી, મશાયખી, કડીવાલનો ૧૦૨ મો ઉર્ષ મુબારક આવતા સોમવારે ઉજવવામાં આવશે….
હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબના ૧૦૨ મો તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબબાવા સાહેબના પ્રથમ ઉર્ષ તા.૧૪-૪-૨૦૨પ ને સોમવાર હી. ૧૪૪૬ ના રોજ બપોરના ઝોહરની નમાઝ બાદથી મગરીબની નમાઝ સુધી વિવિધ ગામોથી આવેલ ચાદરની ચાદર પોશી થશે, સાંજના ૫-૩૦ વાગ્યાથી મોલવી સાહેબની દરગાહની પાછળ વાડીમાં આમ ન્યાજ રાખેલ છે અને ઈશાની નમાઝ બાદ સંદલશરીફની રસમ અદા થશે…
આ ઉર્ષની ઉજવવામાં આગામી રવિવારે સવારે 9 થી 12 દરમ્યાન પીર મશાયખ હોસ્પિટલ દ્વારા દરગાહ શરીફ પાછળ ગ્રાઉન્ડમાં રક્તદાન કેમ્પ તથા રાત્રીના ખતીબે એહલેબૈત હઝરત અલ્લામા મૌલાના મુફતી મોહંમદશફીક હનફી સાહેબ (મુંબઈ)ની શાનદાર તકરીરનું આયોજન કરવામાં આવેલ છે….