બીજે સગાઈ કરતા ઝેરી દવા પી લીધી હતી
રાજકોટ: બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ આપી દીધો હતો. ટંકારાના મિતાણા ગામની આ ઘટના છે.

જાણવા મળ્યા મુજબ, ટંકારા તાલુકાના મિતાણા ગામના તેજલબેન શિયાભાઈ સાડમિયા (ઉંમર વર્ષ 17 ) દસ દિવસ પહેલા પોતાના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતી. જેની તબિયત લથડતા ગઈકાલે ફરીરાજકોટ સિવિલમાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાઈ હતી. જેનું ગઈ સારવારમાં સાંજે 5.45 વાગ્યાં આસપાસ મોત નીપજ્યું હતું.

પરિવારે જણાવ્યું કે, તેજલની સગાઈ તેણા મામાના દીકરા સાથે થઈ ગઈ હતી. અને થોડા મહિના પછી લગ્ન કરવાના હતા પણ તે ઓટાળાના બીજા યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારે શોધખોળ કરતા તે નીકળી ગયા બાદ 5 દિવસ પછી મળી આવી હતી. જેથી તેને પરત ઘરે લાવ્યા હતા. હે વાત એમને ગમી નહોતી અને દુઃખી રહેતી હતી,

અહીં ઘરે તેણે ઝેરી દવા પી લીધી હતી. તેજલ 5 બેન અને 1 ભાઈમાં વચેટ હતી. તેના પિતા હયાત નથી. માતા અને ભાઈ બહેન સાથે રહેતી. સગીરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી…
