રાજાવડલાનો શખ્સ દોઢેક મહિનામાં 2277 મેટ્રિક ટન ખનીજ ખોદી ગયો
વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર રાજાવડલા ગામના શખ્સ દ્વારા બેફામ ખનિજચોરી કરી પર્યાવરણને નુકશાન પહોંચાડતા આ મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ કચેરીમાં માઇન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મીતેષભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રાજાવડલા ગામે રહેતાપરબતભાઈ નારણભાઈ ગમારા તેમજ તપાસમાં જે નામ ખુલે તે તમામ વિરુદ્ધ ખનીજ ચોરી કરવા મામલે આઈપીસી કલમ 379 તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ,ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ-1957 ની કલમ-4(1) અને 4(1-એ) તથા 21 ની પેટા કલમ-1 થી 6 તથા જી.એમ.એમ.સી.આર. 2017 ના નિયમો મુજબ ફરિયાદ નોંધાવી છે.