પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પર મળતું વ્યાજ અન્ય કરતા વધારે છે
જેમની પાસે નાણાં છે એમના માટે બજારમાં રોકાણ કરવા માટે ઘણા વિકલ્પો છે. ઘણી વખત રોકાણકારો મૂંઝવણ અનુભવે છે કે તેઓએ ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઈએ બજારમાં વ્યક્તિગત બયત માટે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં રોકાણના ઘણા વિકલ્પો છે. આમાં પણ ટપાલ સેવા યોજના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પોસ્ટ ઓફિસ રોકાણ યોજના સરકારી ગેરંટી સાથે આવે છે. ઉપરાંત પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પર મળતું વ્યાજ અન્ય કરતા વધારે છે. ચાલો જાણીએ આા યોજનાઓ વિશે 15 વર્ષનું પીપીએક ફંડ એકાઉન્ટનાણાકીય વર્ષમાં FPFમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1,50,000 રૂપિયાનું રોકાણ કરી રાકાય છે. અત્યારે 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તેની પાકતી મુદત 15 વર્ષ છે.
જો કે, તેને લંબાવી શકાય છે. આમાં કલમ 80C હેઠળ છૂટ મળે છે.રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રૌરાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર 5 વર્ષની પરિપક્વતા સાથે આવે છે. તેમાં 7 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે અને આ વ્યાજ પાકતી મુદતના સમયે મળે છે. તમે NSC માં રૂ. 100, 500, 1000, 5000 અને 10,000 ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો.
તમે લોન લેવા માટે NSC નો પણ ઉપયોગ કરી શકો છો.સુકન્યા સમૃધિક્ષકન્યા સમૃદ્ધિ યોજના કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવી રહી છે. સરકાર આાના પર 7.6 ટકા વ્યાજ ચૂકવી રહી છે. તમે 10 વર્ષ સુધીના બાળક માટે આમાં રોકાણ કરી શકો છો.વરિષ્ઠ નાગરિક અયત યોજનાવરિષ્ઠ નાગરિક બચત યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે. તમે તેમાં રૂ. 1,000ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. આમાં 15 લાખથી વધુનું રોકાણ કરી શકાતું નથી. આના પર 8 ટકા વ્યાજ છે.
55 થી 60 વર્ષની વયજૂથની વ્યક્તિઓ આમાં રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એકાઉન્ટપોસ્ટ ઓફિસ માસિક આવક યોજના આમાં વાર્ષિક 7.1 ટકા વ્યાજ આપે છે. આમાં 1,500 ના ગુણાંકમાં રોકાણ કરવું પડશે. આમાં તમે વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. સંયુક્ત ખાતામાં ૬ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.