વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે બનાવેલ નકલી ટોલનાકા અંગે વાંકાનેરનાં પૂર્વ ધારાસભ્ય મહમદ જાવેદ પિરઝાદાનું નિવેદન સામે આવ્યું છે.
બીબીસી ગુજરાતીમાં પ્રગટ થયેલ અહેવાલ
પીરઝાદા ના કહેવા પ્રમાણે, “આ પ્રકારનાં ટોલનાકા છેલ્લા 8-9 વર્ષથી ચાલે છે. તેમજ આ બાબતે મેં અનેક વખત રજૂઆત કરી છે. ખુલ્લા રેલવે ફાટક બંધ કરાવવા માટે પણ રજૂઆત કરી હતી. ત્યારે આ તમામ સત્તાધારી પક્ષનાં નેતાની રહેમનજર હેઠળ આ ચાલતું હોય તેવું લાગે છે તેમ પણ તેમણે કહ્યું હતું.”
“વાંકાનેરનાં તમામ લોકો આ જાણતા હતા. મીડિયાનાં અહેવાલ બાદ તંત્ર એક્શમાં આવ્યું છે. આનાથી સરકારી તિજોરીને નુકસાન થાય છે. એને અટકાવવું જોઈએ. આવી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ સામે સાચી વાત જનતા સુધી મૂકીને વહીવટી તંત્રને જાગૃત કરાયું એ મહત્ત્વની વાત છે.”
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો