આજથી 15 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
વાંકાનેર : વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત આઈ પોર્ટલ તા.24-04-2025 થી તા. 15-05-2025 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતોએ અરજી કરતાં પહેલા નોંધણી કરવી ફરજિયાત છે, ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે.
પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજૂરી આપવામાં આવશે. જેથી અરજી કરવા પોર્ટલ 22 દિવસ સુધી ખુલ્લું રહેશે. જેથી ખેડૂતોએ પોતાના સમય અનુસાર ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવ્યું છે…