કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભલગામને ન્યાય નહીં તો ગાંધી ચીંધ્યો માર્ગ

ફેક્ટરીવાળાની બેદરકારી દ્વારા ખેડૂતને નુકશાન જાય તો યોગ્ય વળતર ચુકવવું જોઈએ: ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી

મોરબી: ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતુ કે, વાંકાનેરના ખેડૂત ખાતેદારને બાજુમાં આવેલા કારખાનાના પ્રદૂષણના લીધે ખેતીમાં થયેલ નુકસાની બાબતે યોગ્ય તપાસ કરાવી વળતર ચૂકવવામાં આવે.

વાંકાનેરના ખેડૂત ખાતેદાર ભોરણીયા રફીક સાવદી તરફથી અરજી મળેલ છે. તેઓના જણાવવા મુજબ તેઓએ વાવેલ પાકમાં કોઈ ફેક્ટરીના પ્રદુષણના કારણે પાકમાં નુકશાન થવા પામેલ છે. જો કોઈ ફેક્ટરીવાળા પોતાની બેદરકારી દ્વારા કોઈ ખેડૂતને નુકશાન જાય તેવું કૃત્ય કરે અને ખેડૂતને નુકશાન જાય તેવું બને તો તેની સરકારે યોગ્ય તપાસ કરીને ખેડુતને યોગ્ય વળતર ચુકવવું જોઈએ અને સામે આવી ફેક્ટરીને ક્લોઝર આપીને કાયમી ધોરણે બંધ કરાવવી જોઈએ.તો અમારી માંગણી છે.

આ બાબતે યોગ્ય તપાસ કરી વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરી કરીને ક્યાં ફેકટરીવાળાની બેદરકારીથી આવું થવા પામેલ છે. તે નક્કી કરીને તે ફેકટરી માલિકો સામે કાયદેસરના પાગલ લેવા જોઇએ તેવી આમારી માંગ છે. જો આ બાબતે યોગ્ય કરવામાં નહિ આવે તો ના છુટકે ગ્રીન ટ્રીબ્યુંનલમાં ફરિયાદ કરવાની તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તો ભલગામના ખેડૂતોને થતી નુકશાની બાબતે વહેલાસર યોગ્ય કરવા મુખ્યમંત્રીને વિનંતી કરેલ છે.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!