ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવન, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર- ૩૮૨૦૧૦ ના ડી.એમ.ઠાકર- સભ્ય સચિવે જણાવ્યુંછે કે નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પ્રિન્સિપલ બેન્ચ, નવી દિલ્હીનાં, ઓરીજીનલ એપ્લીકેશન નં. ૬૮૧/૨૦૧૭ નાં તા. ૧૬.૦૯.૨૦૨૦ તથા
ઓરીજીનલ એપ્લીકેશન નં. ૩૨૦/૨૦૨૧ના તા. ૧૦.૧૨.૨૦૨૧નાં હુક્મમાં આપેલ ના. કોર્ટના નિર્દેશો અનુસંધાને કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ
બોર્ડ દ્વારા જાન્યુઆરી ૨૦૨૨માં પ્રકાશિત કરેલ માર્ગદર્શિકા ‘એન્વાયરોન્મેન્ટલ ગાઈડલાઈન્સ ફોર પોલ્ટ્રી ફાર્મ’ની જોગવાઈઓનું પાલન
કરવાનું રહે છે. માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં એક જ સ્થળે ૫૦૦૦ થી વધુ પક્ષીઓનું સંચાલન કરતા તમામ પોલ્ટ્રી ફાર્મના માલિકોએ સ્થાપના
કરવા માટે અને પોલ્ટ્રી ફાર્મ ચલાવવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી પાણી અધિનિયમ, ૧૯૭૪ અને વાયુ અધિનિયમ ૧૯૮૧ હેઠળ સ્થાપિત કરવા માટે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (CTE) અને સંચાલન માટે કન્સેન્ટ ટુ ઓપરેટ (CTO) લેવું ફરજીયાત છે. ગાર્ડલાઈનની કોપી બોર્ડની વેબ સાઈટ પર (https://gpcb.gujarat.gov.in/webcontroller/ viewnews/ EnvironmentalGuidelines-for-Poultry-Farms) ઉપલબ્ધ છે. બોર્ડ દ્વારા કસુરવારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.