પંચાસિયાના ૨૦ વર્ષના યુવાને દવા પીઘી
વાંકાનેર: અહીં નવાપરામાં વાસુકી મંદિર પાસે રહેતા પરિણીતાને સાસરિયાંઓએ ઢીકાપાટુનો માર મારતા મોરબી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, બીજા બનાવમાં પંચાસિયાના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને પણ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઇ ગયા હતા…









જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવાપરામાં વાસુકી મંદિર પાસે રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજા (20) નામની મહિલાને તેના પતિ, સાસુ, સસરા, નણંદે ઢીકાપાટુનો માર મારેલ હોય ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે, બનાવનું કારણ પોલીસ તપાસમાં હવે ખુલશે..










પંચાસિયાના યુવાને દવા પીઘી
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વિજુભાઈ જેરામભાઈ કુંઢીયા (ઉ.20) નામનો યુવાને કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ત્યાં દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે, દવા પીવા પાછળનું કારણ પોલીસ તપાસમાં ખુલશે…
