વાંકાનેર: એક આધેડ એકટીવા લઈને જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં ગયા હતા અને
ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જે બનાવો અંગેની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા રાજેશભાઈ હંસરાજભાઈ ધુમલીયા જાતે પ્રજાપતિ એકટીવા લઈને જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં ગયા હતા અને ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરા
જગદીશભાઈ રાજેશભાઈ ધુમલીયા રહે. હડમતીયા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકને માનસિક બીમારીની તકલીફ હોય તેને પોતાની જાતે આ પગલું ભરી લીધું હોવાની માહિતી તેના પરિવાર પાસેથી મળેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
હસનપર બીપીએલ વિસ્તારના દેવજી ભીખાભાઇ રાઠોડ અને પંચાસિયાના ભરત પોપટભાઈ દેલવાણીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
ચંદ્રપુરના નવાબ સલીમભાઇ દીવાન સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો