તીથવાના યુવાન સાથે ઘટેલી ઘટના
પીધેલ પકડાયા
વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા કરસનભાઈ પુનાભાઈ બાંભવા (૨૪) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લખધીરપુર કેનાલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો
જેમાં ઇજા થવાથી કરસનભાઈને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે
પીધેલ પકડાયા
ખોજાખાનાવાળી શેરીના વિજયભાઈ રમેશભાઈ તળેટીયા દેવીપૂજક, બાઉન્ડરી પાસેથી કેતનભાઈ લલિતભાઈ લખતરીયા જાતે વાણંદ રહે. રાજકોટ, અને સિંધાવદર- લીંબાપરાની આંગણવાડીની બાજુમાં રહેતા રમેશભાઈ જીવાભાઈ દરેદ્રાને એમના દીકરાએ ફોન કરી દારૂ પી તોફાન કરતા હોવાનો ફોન કરતા પોલીસ ખાતાએ પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો