નગરપાલિકા ચીફ ઓફિસરની તાકીદ
વાંકાનેર: નગરપાલિકા કચેરીની મધ્યસત્ર ચૂંટણી-૨૦૨પ માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ને રવીવારનાં રોજ મતદાન યોજાનાર છે. જેથી વાંકાનેર શહેરી વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ નીચે નોંધાયેલ સંસ્થા તેમજ શૈક્ષણીક સંસ્થા, તેમજ બાંધકામ સાઈટ પરના શ્રમયોગીઓ 

મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશ નહી…
જે શ્રમયોગીઓને ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો/શકયતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રીયાવાળા કામ કરતા શ્રમયોગી/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે…
જો કોઈ સંસ્થા કે માલિક કે નોકરીદાતા ઉકત જોગવાઈ થી વિરૂધ્ધ વર્તન કરશે તો ઉપરોકત કાયદા હેઠળ શિક્ષત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે…
