પાક ન હોય તો પણ વાડીએ એક આંટો મારી આવજો
વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં ભારે પવનના કારણે જો તમારી વાડીમાં કોઈ વીજપોલ તૂટી ગયો હોય





















અથવા તાર તૂટી ગયો હોય તેની જાણકારી માટે દરેક ગ્રાહક એક ચક્કર વાડીએ મારી આવે, જો પાક ન હોય તો પણ વાડીએ આંટો મારી આવે અને પીજીવીસીએલ ખાતામાં આ બાબતની જાણ કરે, જેથી લોકેશન મળે અને રીપેરીંગની કામગીરી ચાલુ કરી શકાય…

