વાંકાનેરના સરધારકા અને પલાસડીમાં આવકાર
વાંકાનેર પંથકમા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે તારીખ 5-12-2023 ના રોજ સવારે 10 વાગ્યે પ્રવેશ કરતાની સાથે જ સમગ્ર ગામજનોએ આવકાર સાથે રથનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ સાંજે 4 વાગ્યે વાંકાનેરના પલાસડી ગામ ખાતે ધામધૂમે ડીજેના તાલ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પ્રવેશ થતાની સાથે ગ્રામજનોએ આવકાર સાથે સ્વાગત કર્યું હતું જેમાં રાજ્ય સરકાર- કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને માર્ગદર્શન આપી ડિજિટલ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ કરવાના પ્રયાસો અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના સફળ બનાવવા માટે હરીસિંહ ઝાલા ઉર્ફે હરુભા ઝાલા હાજરી આપી હતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો