11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે

વાંકાનેર : કમલ સુવાસમાં અગાઉ શક્યતા વ્યક્ત કર્યા મુજબ સરકાર દ્વારા જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. હવે સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે. સોમવારથી રાજ્યમાં નવી જંત્રીનો દર અમલી થશે.

ગુજરાતમાં જંત્રીનો દર બમણો કરાયો છે. સમગ્ર રાજ્યમાં આ દર સોમવારથી અમલી બનશે. હાલમાં એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં આવશે. બીજી બાજુ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે.