કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જેસીબી ખરીદીના 15 લાખ ઓળવી ગયાં

જેસીબી ખરીદીના 15 લાખ ઓળવી ગયાં

પાંચદ્વારકાના શખ્સની ઉત્તરપ્રદેશના ઈસમ સામે વિશ્વાસઘાતની ફરિયાદ

વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા અને ચંદ્રપુર ગામમાં અંજની પ્લાઝામાં પટેલ અર્થ મુવર્સ ના નામે જેસીબી વાહનો લે-વેચ નો ધંધો કરતા શખ્સ પાસેથી 15 લાખ અને એમના દલાલ પાસેથી 21 હજાર જેસીબી વેચાણ પેટે મેળવી ગાજીયાબાદ (ઉત્તરપ્રદેશ) વાળાએ જેસબી કે રૂપિયા પરત ન આપી ઠગાઇ તથા વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા અને ચંદ્રપુર ગામમાં અંજની પ્લાઝામાં પટેલ અર્થ મુવર્સ ના નામે જેસીબી વાહનો લે-વેચ નો ધંધો કરતા ઝુલ્ફીકારઅલી ઉસ્માનભાઇ બાદી (ઉ.વ.૪૦) એ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ ૨૧/૦૯/૨૦૨૪ ના રોજ જુના જેસીબી લે-વેચ ના બ્રોકર વિનોદકુમાર ખજાનસિંગ હાલ રહે. ગુડગાઉ (હરીયાણા)વાળાએ મારા વ્હોટસેપ પર જેસીબી રજી.નં.UT-14 -NT-8849 જે ભુપેન્દ્રભાઇ ઓમપ્રકાશ રહે. ૫૯,જન કલ્યાણ માધ્યમીક સ્કુલ રેવડી રેવડા મુરાદનગર ગાજીયાબાદ (ઉતરપ્રદેશ) વાળાનુ

તથા તેની આરસીબુકનો ફોટો મોકલેલ જે મને પસંદ પડતા તેની કિંમત રૂ. ૨૪,૦૦,૦૦૦/- જણાવતા મેં દલાલ વિનોદભાઇ મારફતે રૂ.૨૧૦૦૦/- ટોકન ટ્રાંસફર કરાવેલ, તે જેસીબી ઉપર આઇડીએફસી ફર્સ્ટ બેન્કની લોન ચાલુ હતી. ત્યાર બાદ મારા દલાલે જેસીબી ઉપર બાકી રહેલ લોન રૂ.૧૪,૯૮,૮૧૫/- ભરવાની હોય તા: ૨૩/૦૯/૨૦૨૪ ના રૂ.૧૫,૦૦,૦૦૦/- મેં આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક મારફત જેસીબી વાહનના માલીક ભુપેન્દ્રભાઈના ખાતામાં રૂ.૩,૦૦,૦૦૦/- નાખેલ અને તા: ૧૯/૦૯/૨૦૨૪ ના જેસીબી મંસુરઅલી તાહેરઅલી મુલ્લા રહે. ઇસ્માઇલ મંઝીલ જરોલી ફળી પીસાવાડા અમદાવાદ વાળાને રૂ.૨૧,૦૦,૦૦૦/- માં વેચેલુ હતું, જેની પાસેથી મારેશિયાળાની ઋતુમાં બ્લેન્કેટની અવનવી ડિઝાઇનનો ખજાનો

રીધમ સોલાર – વિશ્વાસની ઉર્જા, ભવિષ્યની તકનીક

રૂ.૨૧,૦૦,૦૦૦/- લેવાના બાકી નિકળતા હોય અને તે મને પૈસા આપવા માટે વાંકાનેર આવેલ હોય અને મારે ભુપેન્દ્રભાઇને પૈસા દેવાના હોય જેથી મન્સુરઅલીના ખાતામાંથી સીધા તા.૨૩/૦૯/૨૦૨૪ ના રોજ ભુપેન્દ્રભાઇના એક્સીસ બેન્કના ખાતામાં રૂ.૧૨,૦૦,૦૦૦/- આર.ટી.જી,એસ, મારફત ટ્રાંસફર કરેલ, પછી જેસીબી માલિકે દલાલને બે-ત્રણ દિવસ ધક્કા કરાવ્યા બાદ જેસીબી આપવાની ના પાડી, મેં પૈસા પરત આપવાનું કહેતા દેવાની પણ ના પાડેલ, જેથી આ ભુપેન્દ્રભાઇ ગાજીયાબાદ ઉતરપ્રદેશ વાળાએ મારા રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મારા દલાલના રૂ.૨૧,૦૦૦/- એમ કુલરૂ.૧૫,૨૧,૦૦૦/- લઈને મને જેસીબી આપેલ ન હોય મારી સાથે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા(૨૦૨૩) ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!