વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામના 35 વર્ષીય યુવાન બેભાન થઇ જતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું


જાણવા મળ્યા મુજબ જેતપરડા ગામના 35 વર્ષીય મુન્નાભાઈ નાગજીભાઈ મદ્રેસાણીયા તા. 9 ના સવારે 8 વાગ્યા આસપાસ ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં લઇ જતા ફરજ પરના ડોક્ટરને દર્દીએ કોઈ દવા પી લીધેલ હોય તેવી શંકા હોય વ્યક્ત કરી હતી. સારવારમાં વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું. મૃતક પોતે એક જ ભાઈ હતા અને નિઃસંતાન હતા….
