વાંકાનેર: અહીંની સરકારી હોસ્પિટલમાં ભેખડ ધસી જતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ ગેરકાયદેસર ચાલતી ખાણોમાં કોલસો ખનન કરતા સમયે ભેખડ ધસી જતા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. અગાઉના સમયમાં મૂળી તાલુકાના ખંપાળીયા ગ્રામ પંચાયત દ્વારા મુળી મામલતદાર કચેરીને જાણ કરવામાં આવી હતી.જેમાં સ્થાનિક મજૂર જયરાજ મેરાભાઈ કોળી ઉંમર -૨૦ વર્ષ વાળાને ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોડીરાત્રે મોત નીપજ્યું હતું. મૃતકના સ્થાનિક યુવાન સહિત ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત થયું હોવાની વિગત સામે આવી છે. ગેરકાયદેસર રીતે કોલસાના ખનન કરતા હોવાથી લાશની બરોબર અજ્ઞાત સ્થળે અંતિમવિધિ કરાયાની ચર્ચા છે. ચાર મજૂરોના મોતની ખાણ ભાજપના તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો ચલાવતા હોવાનું સામે આવ્યું છે.