કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે
હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે (10મી એપ્રિલ) મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની 27 ટકા ઓબીસી (OBC) અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ચૂંટણી અટકશે નહીં.
પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 27 ટકા OBC અનામતની નીતિને પડકારીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો છે અને અરજદારને

આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હવે અનામતના આ જટિલ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે. રાજ્ય સરકાર 27 ટકા OBC અનામત આપવા માટે મક્કમ છે અને તેને કાયદાકીય રીતે યોગ્ય ઠેરવવા પ્રયાસ કરી રહી છે.

રાજ્યમાં પંચાયતો, નગરપાલિકાઓ અને મહા નગરપાલિકામાં અપાયેલી 27% અનામત સામે પિટિશનમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા ઉઠાવાયા
1. ટ્રિપલ ટેસ્ટનું પાલન: સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ અનામત નક્કી કરતાં પહેલા ટ્રિપલ ટેસ્ટના માપદંડોનું ચુસ્તપણે પાલન થયું છે કે નહીં તેની ચકાસણી.
2. 50 ટકાની મર્યાદા: શું કુલ અનામત (SC/ST અને OBC મળીને) 50 ટકાની નિર્ધારિત મર્યાદા વટાવે છે?
3. ઝવેરી કમિશનનો અહેવાલ: જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કરવામાં આવેલી બેઠકોની ફાળવણી કેટલી તર્કસંગત અને બંધારણીય છે તે અંગે પણ સવાલો ઊભા થયા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!