આવતી કાલે રાતે 9:30 વાગે ગૌશાળાના લાભાર્થે “દાદા નો મજરો” કાર્યક્રમ રાખેલ છે
વાંકાનેર: તાલુકામાં આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે ભવ્ય લોક ભવાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં “દાદા નો મજરો” પણ કલાકારો દ્વારા કરવામાં આવશે.




આગામી તા.18/08/2025 સોમવાર શ્રાવણ વદ- 10 ના રોજ (આવતી કાલે) રાતે 9:30 કલાકે સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ગૌશાળાના લાભાર્થે “દાદા નો મજરો” (લોક ભવાઈ કાર્યક્રમ) રાખેલ છે. જેમાં ખાખરાળા ગામના નાયક સ્વ. હરીલાલભાઈ કાનજીભાઈ વ્યાસનું સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ સંચાલક વિક્રમભાઈ વ્યાસ તથા સાથી કલાકારો પોતાની કલા રજૂ કરશે. તો આ “દાદા નો મજરો” જોવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતીલાલજી મહારાજ ગુરૂ રવિપ્રકાશજી મહારાજ તેમજ લઘુ મહંત જીતેન્દ્રપ્રકાશ ગુરૂ રતિલાલજી મહારાજ અને જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા લોકોને ગૌસેવાના કામમાં સહયોગ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે…

