કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

છ પાણ પ્રતિ હેક્ટર કુલ રૂપિયા ૨૫૦૯ પિયત ચાર્જ

વાંકાનેર: મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ ૧૧.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન, લાલ બાગ, રૂમ નં ૨૨૮, મોરબી ખાતે મળેલ હતી, જેમાં ઠરાવમાં નક્કી થયેલ તારીખ- ૨૭/૧૦/૨૦૨૫ થી ૦૧/૧૧/૨૦૨૫ સુધી સમય ૧૦:૩૦ થી ૧૭.૦૦ કલાક સુધી લગત સેક્શન ઓફીસ ખાતે સિંચાઈ અરજી સ્વીકારવામાં આવશે ત્યારબાદ સિંચાઈ અરજી ૧.૨૫ દરે સ્વીકારવામાં આવશે તેમ નક્કી થયેલ છે. સિંચાઈ અરજી સાથે ફરજીયાત ૭/૧૨ અથવા ૮-અ અથવા ખાતાવહી સાથે રાખવાની રહેશે. રબી ૨૦૨૫-૨૬ માટે કુલ ૬ (છ) પાણ આપવાનું આયોજન થયેલ હોઈ. જેની નીચે મુજબના ભાવે વસુલાત કરવામાં આવશે.

રબી ૨૦૨૪-૨૫ માટે કુલ ૬ (છ) પાણ પ્રતિ હેક્ટરના ભાવ:- ૬ પાણ
પીયાવો-૨૦૯૧/- + લોકલ ફંડ-૪૧૮ = કુલ -૨૫૦૯
નહેર અધિનિયમ ૨૦૧૩-૧૪ મુજબ સમયસર વસૂલાત ન ભરનાર ખાતેદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

મચ્છુ-૧ કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામો :-
વાંકાનેર તાલુકાના ગામો:- જાલસિકા, કોઠી, મહીકા, જોધપર, લીંબાડા, ગારીયા, રશીકગઢ, કેરાળા, લાલપર, ચંદ્રપુર, રાજાવડલા, અમરસર, પાંચદ્વારકા, સીંધાવદર, તીથવા, અરણીટીંબા, વાંકીયા, પંચાસીયા, કોઠારીયા
ટંકારા તાલુકાના ગામો:- ટંકારા, ટોળ, અમરાપર, સજનપર, લજાઈ, હડમતીયા(પાલનપીર), વીરપર,
મોરબી તાલુકાના ગામો:- રવાપર, રાજપર, ઘુનડા(સજનપર)

Content Copying Forbidden !!

error: Content is protected !!