મોરબી જિલ્લો આગામી 24 કલાક ઓરેન્જ ઝોનમાં
નાગરિકોને મચ્છુ નદીના પટમાં નહિ જવા સૂચના
વાંકાનેર: આ લખાય છે ત્યારે આજ શનિવારના આઠ વાગે મચ્છુ-1 ડેમ હવાથી ઉછળતા પાણીના મોજાથી છલકાય છે, પૂરો ભરાવામાં હજી 4 થી 5 દોરા બાકી છે, અત્યારે અઢી હજાર ક્યુસેક જેટલી ડેમમાં પાણીની આવક છે, ત્યારે આજ રાત્રે ડેમ છલકાવાની શક્યતા છે, જો કે સોસીયલ મીડિયામાં ડેમ છલકાવાનો જે વિડિઓ ફરે છે તે માત્ર મોજા જ છે.


હવામાન ખાતાએ મોરબી જિલ્લાને આગામી 24 કલાક ઓરેન્જ ઝોનમાં મુકેલ હોઈ આવતી કાલે વાંકાનેરમાં વરસાદની પુરી શક્યતા છે, ત્યારે નીચેના 24 ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે, જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતદેવળી, વાંકિયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર ગામ તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર એમ કુલ 24 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જે તમામ ગામના નાગરિકોને નદીના પટમાં નહિ જવા અને સલામતી સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે….
