99.20 PR સાથે શરમીનબાનું સ્કૂલ ફર્સ્ટ
મદની સ્કૂલ સિંધાવદરની 2018માં એસએસસીની પ્રથમ બેન્ચનું 100 ટકા પરિણામ મેળવેલ જ્યારે 2025માં એચએસસી (12 કોમર્સ)ની પ્રથમ બેંચનું પણ 100 ટકા પરિણામ મેળવ્યું…

વાંકાનેર: સિંધાવદર ગ્રામ્ય વિસ્તારમાં 2003થી શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થા મદની સ્કૂલમાં આ વર્ષની 12 કોમર્સની પ્રથમ બેંચનું 100 ટકા પરિણામ મેળવેલ છે.
5મી મેના રોજ બોર્ડનું જાહેર થયેલ પરિણામમાં મદની સ્કૂલ સિંધાવદર ની 12 કોમર્સની પ્રથમ બેંચમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થઈને સ્કૂલ નું 100% પરિણામ મળેલ છે જેમાં પરાસરા સરમીનબાનુ ગુલામહુસેનને 91.57 ટકા અને 99.20 PR મેળવીને શાળામાં પ્રથમ સ્થાન મેળવેલ છે, વકાલીયા કમરનિશા નિઝામુદીન 97.94 પીઆર મેળવીને દ્વિતિય સ્થાન મેળવેલ છે, જ્યારે પરાસરા અકસાબાનું ગુલામહુસેનને 92.62 પીઆર સાથે તૃતિય સ્થાન મેળવેલ છે.
મદની સ્કૂલના વિદ્યાર્થીઓએ વિષય હાઈએસ્ટ માર્ક નીચે મુજબ મેળવેલ છે.
આંકડાશાસ્ત્ર -100, સંગીત -100, નામું – 96, અર્થશાસ્ત્ર – 96, વાણિજ્ય વ્યવસ્થા – 94,
બાલવાટિકા, એલકેજી અને ધોરણ 1 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ છે. એડમિશન માટે સવારે 8:30 થી 12:30 દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો.
મદની સ્કૂલ
દરબારગઢ પાછળ, મુ.પો.સિંધાવદર, તા.વાંકાનેર.
સંપર્ક :- ઇરફાન સર-99093 54614
હનીફ સર-98792 89144
જરીનાબેન-76238 93117