કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહિકાના તલાટીની બેનામી સંપતિની તપાસ કરવા માંગ

અગાઉ વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે

તલાટી કમ મંત્રી પાસે રિવોલ્વર અને બાર બોરનો જોટો છે તે લોકોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરાતા હોવાનો આક્ષેપ
વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતાં ઈલ્લમુદિન હબીબભાઇ બાદીએ અગાઉ વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી ત્યાર બાદ હાલમાં તેને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને તલાટી કમ મંત્રીની બેનામી મિલકતની તપાસ કરવા માટેની માંગ કરી છે. 
હાલમાં મહિકા ગામે રહેતાં ઇલ્લમુદીન હબીબભાઇ બાદીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને તલાટી કમ મંત્રી એઝાઝ કાદરીની બેનામી સંપતિની તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, ઇલ્લમુદીન બાદીએ અગાઉ ગૃહમંત્રીને વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ રજૂઆત કરી હતી કેમ કે, લોકડાઉન દરમિયાન ધંધામાં ખોટ જતાં દેવું ભરપાઇ કરવા માટે તેને અમદાવાદમાં રહેતાં પ્રહલાદસિંહ બહાદૂરસિંહ ચુડાસમા અને તલાટી કમ મંત્રી એઝાજ કાદરી પાસેથી ખેતીની જમીન ઉપર ૩૦ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. અને ૧૮ માસ સુધી નિયમીત વ્યાજ આપ્યું હતું. અને બાદમાં વ્યાજ નહીં ચુક્વી શકતા તેની જમીન લખાવી લેવામાં આવી હતી ત્યાર બાદમાં વાંકાનેરના પીઆઇ કે.એમ.છાસિયાને રૂબરૂ મળીને અરજી આપી હતી હતી તો તેની સામે આઇપીસી કલમ ૩૮૬ મુજબ ગુનો નોંધવામાં આવેલ નથી જેથી વાંકાનેર સિટી પીઆઇ સામે પગલાં લેવાની માંગ કરી હતી. 
હાલમાં ઇલ્લમુદીન હબીબભાઇ બાદીએ તલાટી કમ મંત્રી એઝાઝ કારીની બેનામી સંપતિની તપાસ કરવા માટેની માંગ સાથે કલેક્ટરને જે રજૂઆત કરેલ છે, તેમાં જુદાજુદા સ્થળો ઉપર આવેલ તેની સંપતિ વિષેની માહિતી તેમજ બૅન્કના જુદાજુદા ખાતા તેમજ લોકરની તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. તેમજ તલાટી કમ મંત્રી પાસે રિવોલ્વર અને બાર બોરનો જોટો છે, તે લોકોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરે છે; જેથી કરીને હથિયારનું લાયસન્સ રદ કરીને હથિયાર જમા લેવામાં આવે, તેવી પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જો કે, અધિકારી દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!