શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં એકતા જળવાઈ રહે તે વિષય ઉપર ચર્ચા
વાંકાનેરમાં આવેલ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે ગોવિંદભાઈ દેસાઈની આગેવાનીમાં વાંકાનેર તાલુકાના વિવિધ ગામોના માલધારી સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું.


વાંકાનેર તાલુકાના ઘીયાવડ, જાલસીકા, નવા ગારીયા, કોઠી, રામપરા, ખખાણા, વસુંધરા, મહિકા, સમઢીયાળા, રૂપાવટી, જેપુર, તરકીયા, મેસરિયા, રંગપર, ખાભાળા, લિંબાળા, કણકોટ, ખેરવા, પીપરડી તેમજ વિવિધ ગામોના માલધારી સમાજના આગેવાનો આવ્યા હતા.


ત્યાં નવનિયુક્ત સાંસદ મહારાણા કેસરીદેવસિહજી ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેની સાથોસાથ આગામી શ્રીકૃષ્ણ જન્મોત્સવ રથયાત્રામાં વાંકાનેર સમસ્ત હિન્દુ સમાજની એકતા જળવાઈ રહે તે વિષય ઉપર ચર્ચા કરેલ હતી, તેવું વાંકાનેર શહેર ભાજપ સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડિયાએ જણાવ્યુ છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
