સરકારી તંત્રની લાલ આંખથી દબાણ કરનારાઓમાં ફફડાટ
વાંકાનેર: અહીંની મામલતદાર કચેરીમાંથી જાણવા મળ્યા મુજબ તાલુકાના પાડધરામાં ગામમાં સરકારી જમીન પરનું અનઅધિકૃત દબાણ દુર કરવાની લે.રે.કો.ક. ૨૦૨ હેઠળની નોટીસો દશેક જણાને અપાઈ છે. આથી દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.



મળેલ માહિતી મુજબ નોટિસમાં જમીન ગેરવાજબી રીતે કબજામાં હોવાનો અને જમીનમાંથી લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ મી કલમના ઠરાવોની રૂએ કાઢી મુકવાનો કલેકટરશ્રીને અધિકાર હોવાનો ઉલ્લેખ છે,


મામલતદાર વાંકાનેર કે. વી. સાનિયાની સહીથી નોટિસો અપાઈ છે, સને ૧૮૭૯ ના જમીન મહેસુલ કાયદાની ૨૦૨, જી, કલમમાં ઠરાવ્યા પ્રમાણે નોટીસ પહોંચ્યાથી દિન- ૨ ની મુદતમાં સરકારી ખરાબા/ગોચર ના સર્વે નં 87/1 પૈકી 24 માં અનધિકૃત દબાણ જમીન છોડી દેવાનું જણાવાયું છે જ્યાં અલખધણી કોમ્પલેક્ષનું પાકું બાંધકામ કરવામાં આવેલ છે નોટિસોની નકલો સંબંધિત દબાણકર્તા ઉપરાંત સર્કલ ઓફિસર-૧/૨ વાંકાનેર અને રેવન્યુ તલાટીશ્રીને સહી મેળવી સહીવાળો પત્ર મેળવવા લખાયું છે…
