વાંકાનેર માંધાતા મંદિર મિટિંગ પ્રાગટ્ય દિવસ ૧૪-૧-૨૦૨૪ને મકરસંક્રાંતિ ખિહરના દિવસે ધામધૂમથી ઉજવણી કરવા માટે માંધાતા મંદિર જીનપરા ખાતે કોળી સેના માંધાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી
મળેલી હોદેદારોની મીટીંગમાં સમગ્ર વાંકાનેર શહેરમાં જીનપરા વિસ્તારમાં ખીડીપરા, મિલપ્લોટ, વિસીપરા, કુંભારપરા વિસ્તાર સહિતમાં અને કોળી સમાજના વાંકાનેર તાલુકાના ગામોમાં માંધાતા પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ તકે સર્વ ગ્રુપના હોદેદારોએ રમેશભાઈ મકવાણાનું ભવ્ય સન્માન કર્યું હતું.