કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દસ્તાવેજ કર્યા માત્રથી માલિક નથી થઈ જવાતું

રજિસ્ટ્રી કરાવી લીધા પછી પ્રોપર્ટીના માલિક = બહુ જ મોટી ગેરમસજ છે

સંપત્તિનું મ્યૂટેશન કરવામાં આવે પછી જ માલિકી મળે, ભલે તેણે રજિસ્ટ્રી કરાવી લીધી હોય
ખેતી, રહેણાંક જમીન, ઔદ્યોગિક જમીન કે મકાનોનું નામાંતરણ જુદા-જુદા પ્રકારથી અલગ-અલગ સ્થાનો પર કરવામાં આવે છે

નવી દિલ્હીઃ પ્રોપર્ટી એક એવી વસ્તુ છે, જે ખરીદવા માટે વ્યક્તિ તેની બધી જ મૂડી ખર્ચ કરી દે છે, અહીં સુધી કે બેંકથી લોન લઈ લે છે. ત્યારે છેક સંપત્તિ મેળવી શકે છે. એટલા માટે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા બહુ જ જરૂરી છે કે, એક-એક વસ્તુની સારી તપાસ કરી લેવી. કોઈ પણ સંપત્તિ(ઘર, મકાન, દુકાન કે જમીન)ખરીદતા પહેલા હંમેશા લોકો રજિસ્ટ્રી કરાવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રીથી કોઈ પણ પ્રોપર્ટીનો માલિકાના હક મળતો નથી.

જો તમને લાગે છે કે, રજિસ્ટ્રી કરાવી લીધા પછી પ્રોપર્ટી તમારી થઈ જશે તો તમે બહુ જ મોટી ગેરમસજ છે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની પરેશાનીથી બચવા માટે જરૂરી છે કે, તમે તેનું નામંતરણ એટલે કે મ્યૂટેશન જરૂર ચેક કરી લો. તમારે તે પણ ખબર હોવી જોઈએ કે માત્ર સેલ ડીડથી નામાંતરણ ન થઈ શકે.


મ્યુટેશન વગર મિલકત તમારા નામે ન થઈ શકે- સેલ ડીડ અને મ્યૂટેશન બંને જુદી-જુદી વસ્તુઓ છે. સામાન્ય રીતે લોકો સેલ અને મ્યૂટેશનને એક જ સમજી લે છે. આવી ગેરસમજ છે કે, રજિસ્ટ્રી કરાવી લીધી અને સંપત્તિ પોતાના નામે થઈ ગઈ. કોઈ પણ સંપત્તિનું જ્યાર સુધી મ્યૂટેશન કરવામાં આવતું નથી, ત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ પોતાની માલિકીની ન ગણી શકે, ભલે તેણે રજિસ્ટ્રી કરાવી લીધી હોય. પછી સંપત્તિ તેની ન માની શકાય, કારણ કે, નામાંતરણ તો કોઈ અન્ય વ્યક્તિની પાસે હોય છે.

કેવી રીતે કરાવવું મ્યૂટેશન- ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની રિયલ એસ્ટેટ છે. પહેલી ખેતી, બીજી રહેણાંક જમીન, ત્રીજી ઔદ્યોગિક જમીન. આ જમીન સાથે મકાનો પણ સામેલ છે.

આ ત્રણેય પ્રકારની જમીનોનું નામાંતરણ જુદા-જુદા પ્રકારથી અલગ-અલગ સ્થાનો પર કરવામાં આવે છે. જ્યારે ક્યારેય કોઈ સંપત્તિને સેલ ડીડના માધ્યમથી ખરીદવામાં આવે કે પછી કોઈ અન્ય કોઈપણ માધ્યમથી હસ્તગત કરવામાં આવે ત્યારે તે દસ્તાવેજ સાથે સંબંધિત કચેરીમાં હાજર થઈને મિલકતનું નામાંતરણ કરાવી લેવું જોઈએ.

ક્યાંથી મળે છે પૂરી જાણકારી- જો જમીન ખેતીની જમીનના રૂપમાં નોંધવામાં આવી હોય તો આવી જમીનનું મ્યૂટેશન તે પટવારી હળકાના પટવારી દ્વારા તેનું નામ બદલવામાં આવે છે.

આવાસીય જમીનનું નામાંતરણ કેવી રીતે કરવામાં આવે. રહેણાંકની જમીનને લગતા તમામ દસ્તાવેજોનો રેકોર્ડ જે તે વિસ્તારના ગામના કિસ્સામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત પાસે છે. જ્યારે ઔદ્યોગિક જમીનનો રેકોર્ડ ઔદ્યોગિક વિકાસ કેન્દ્ર જે પ્રત્યેક જિલ્લામાં હોય છે, તેની સમક્ષ હોય છે, આવા ઔદ્યોગિક વિકાસ કેન્દ્રમાં જઈને તપાસ કરવી જોઈએ. (સૌજન્ય: ન્યુઝ-18)

Content Copying Forbidden !!

error: Content is protected !!