વાંકાનેર: ગઈ કાલે રાજકોટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સભામાં વાંકાનેર તાલુકાના પચ્ચીસ ગામના લઘુમતી સમાજના ભાજપના કાર્યકરો પાંચ બસ લઈને ઉમટી પડયા હતા, તેવું વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશરફ બાદી (તિરંગા)એ એક યાદીમાં જણાવ્યું છે.

આ પાંચ બસમાં ચંદ્રપુર- ખીજડીયા વિસ્તારમાં અશરફ બાદી, પાંચદ્વારકા વિસ્તારમાં નજરમહંમદ બાદી, તીથવા વિસ્તારમાં હુસેનભાઇ (રબ્બાની),

પીપળિયારાજમાં મજીદભાઈ કડીવાર અને વાંકિયા, પંચાસીયા વિસ્તારમાંથી સરાફુદીન માથકીયાએ આગેવાની લીધી હતી.

કાર્યક્રમ કોઈ પણ અડચણ વિના પૂરો કરી બધા પરત આવી ગયા હતા.




લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
