વાંકાનેર: તાલુકાના નવા મહિકા ગામે ઘરમાં ભોંયતળિયે સુતેલા માતા અને પુત્રને ઝેરી સાપ કરડી જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.




મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામે રહેતા મૂળ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના અધોઈ ગામના વતની કાજલબેન ઘોઘાભાઈ સોઢા ઉ.35 અને તેમના પુત્ર કિશન ઘોઘાભાઈ સોઢા ઉ.10 નામના બાળકને ઘરમાં ભોંયતળિયે સુતા હતા ત્યારે ઝેરી સાપ કરડી જતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડતા બન્નેને મૃત જાહેર કરાયા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

