પાસ વગર કોઇને એન્ટી નહીં મળે: મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા. ૦૮ ડીસેમ્બર ૨૦૧૨ના રોજ થવાની છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ શકે, મતગણતરી દરમ્યાન કોઇપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહીં તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૦૮/૧૨/૨૦૨૨ સુધી મતગણતરી પૂર્ણ થતાં સુધીના સમય દરમ્યાન, કોઇપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઇ શકશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઇ આવે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહી અથવા કોઈ સભા કરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી.
ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ જેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જઈ શકી નહી કે તેનો ઉપયોગ કરી શકો નહીં. ઉમેદવાર તેમના ચૂંટલી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇંસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.
મતગણતરી તેમજ મતગણતરી સંચાલન અંગેની ફરજ જે અધિકારી કર્મચારીને સોપવામાં આવેલ છે, તે તમામ તેમજ ભારતના ચૂંટણી પંચ તરફથી મંજુરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન ધરાવતા હોય તેમજ સક્ષમ સત્તાધિકારીએ મતગણતરી કેન્દ્રમાં પરવાનગી આપેલ હોય તેવા પત્રકારો મતગણતરી કેન્દ્રના ફક્ત મીડીયા સેન્ટર સુધી જ મોબાઇલ લઇ જઇ શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.