નાગલપર યુવાનને ઠપકો સહન ન થયો
વાંકાનેર તાલુકાના જામસર ગામ પાસે ખેતર નજીકથી અજાણ્યા 35 થી 40 વર્ષના પુરુષની લાશ મળી આવેલ હતી, અને તેના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા હોવાથી હાલમાં તેના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને ખેતી કામ કરતા પથુભાઈ ભનુભાઈ દેલવાણીયા જાતે કોળી (46)એ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, જામસર ગામ નજીક લખમણભાઈ રૂપાભાઈના મકાન પાસે ખેતરમાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ પડેલ છે જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનની બોડી ઉપર ઈજાના નિશાન જોવા મળતા હતા જેથી
તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને મૃતક યુવાનનું કુદરતી રીતે મૃત્યુ થયું છે કે, પછી તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે
નાગલપર યુવાનને ઠપકો સહન ન થયો
નાગલપર ગામની સીમમાં રહેતા સાગરભાઇ મૈયાભાઇ ગુંદારીયા (25) નામના યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા હેડ કોસ્ટેબલ જે.જી. ઝાલા કરી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનને તેના પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે