કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હત્યા કરનારને સજા

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હત્યા કરનારને સજા

પૈસાની લેતીદેતી મામલે મિત્રને ગળાના ભાગે છરી મારી હતી

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની હત્યા કરનારને મોરબી કોર્ટે આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ રાજકુમાર જીવલાલ પ્રજાપતિ રહે રાજકોટ રૈયા ચોકડી વાળો અને આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ રાજાવત રહે એમપી વાળા સાથે જ રહેતા અને કલરકામ મજુરી કરતા હતા બંને મિત્રો હોય અને અવારનવાર સાથે ખરીદી કરવા

બહાર જતા આવતા હતા રાજકુમાર પ્રજાપતિ ભાડા અને અન્ય ખર્ચના પૈસા ચૂકવતો હતો જે પૈસા આરોપી પાસે માંગતા પૈસાની લેતીદેતી મામલે આરોપી જીતેન્દ્રસિંહે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બોલાચાલી ઝઘડો કરી છરી વડે રાજકુમારને ગળાના ભાગે ગંભીર ઈજા કરી

મોત નીપજાવ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે ૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ બનેલા બનાવ મામલે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો હતો પોલીસ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ બીજા એડીશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ, મોરબી સંજયભાઈ દવેએ

કોર્ટમાં આરોપી વિરુદ્ધ ૧૬ મૌખિક પુરાવા અને ૪૨ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જીતેન્દ્રસિંહ રાજાવતને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ મુજબના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ ૫૦૦૦ નો દંડ ફટકાર્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!