કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નાના જડેશ્વરે સોમવારે ભવાઈનો કાર્યક્રમ

સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે

વાંકાનેર: હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે નાના જડેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં પરંપરાગત ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે. મોરબી જિલ્લાના નાના જડેશ્વર મુકામે દાદા સદાશિવ મહાદેવના પ્રાંગણમાં ગાયોના ઘાસચારાના લાભાર્થે ભવાઈ મંડળ દ્વારા દર વર્ષની માફક તારીખ 11.9.23 ના રાત્રે 9 કલાકે ભવાઈ રજૂ કરવામાં આવનાર છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત


શ્રાવણ માસ દરમિયાન અહીં મહાદેવના નામથી ભંડારાનું આયોજન થાય છે. દર્શને આવનાર તમામને અહીં પ્રસાદરૂપી ભોજન પીરસવામાં આવે છે અને અહીં વર્ષોથી ગૌશાળા કાર્યરત છે. ખાસ ગોવાળ દ્વારા ઘાસચારો, પાણી અને સારવાર કરવામાં આવે છે.

સોમવારે રાત્રે ભારતભરમાં ખ્યાતિ પામેલા તેમજ ઈરાન, ઈંગ્લેન્ડની ધરતી પર પણ પોતાની આગવી ક્લા પાથરનારું હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ છેલ્લા 118 વર્ષથી ભવાઇ કલાને જીવંત રાખવામાં મહત્તમ ફાળો આપી રહ્યું છે. દરેક ભક્તોને લાભ લેવા સરવડ ભવાઇ મંડળના નાયક ભરતભાઇએ ઇજન આપ્યું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!