કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જિલ્લામાં નવા શિક્ષણ અને પ્રા. શિક્ષણ અધિકારી

વાંકાનેર આચાર્યની શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે બદલી

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

વાંકાનેર: મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાને મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી પણ મળી છે.

શિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યના 3 જિલ્લા શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાથે 57 વર્ગ-2ની કેડરના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને આચાર્યોની બઢતી સાથે બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં રાજકોટની બાઈ સાહેબબા હાઈસ્કૂલના આચાર્ય નમ્રતા મહેતાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે અને ગુંદીયાણી માધ્યમિક શાળાના આચાર્ય કમલેશકુમાર મોતાને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વાંકાનેર મોડેલ હાઈસ્કૂલના આચાર્ય નિલેશ રાણીપાને જિલ્લા શિક્ષણ અધિકારીની બઢતી સાથે રાજકોટમાં જ્યારે મોટી બરાર મોડેલ સ્કૂલના આચાર્ય ભરતકુમાર વિડજાને પણ શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે જામનગરમાં મુકવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું
મોરબી : મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧-૦૧-૨૦૨૪ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તઓ કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!