વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બાર એસોસિયેશનની ચુંટણીઓ યોજાતી હોય છે, જે અનુસંધાને ગઇકાલે વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા નવી બોડીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં
બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી તરીકે ફારૂકભાઈ ખોરજીયા, ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી તેમજ એકમાત્ર જોઈન્ટ સેક્રેટરી પદ માટે યોજાયેલ ચૂંટણીમાં મીનાક્ષીબેન વોરાનો વિજય થયો હતો…