વાંકાનેર: PHC દલડી ના આયુષ્માન આરોગ્ય મંદિર ધમલપર ખાતે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને દલડી PHC ના મેડિકલ ઓફિસર ડૉ. સાહીના અન્સારી મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમાકુ ખાવાથી થતા નુકશાન અને નાણાંકીય નુકશાન થતું હોય ત્યારે સમાજમાં એક સારા મેસજ મળે એ માટે સમાજમાં તમાકુ ન ખાવા અંગે પ્રા.આ કેન્દ્ર દલડીના આયુષ્માન આરોગ્ય મંદિર ધમલપર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ચેતના બલદાણિયા અને એફ એચ ડબલ્યુ મનીષાબેન અને mphw દિનેશભાઈ તેમજ સ્ટાફ દ્વારા રેલી યોજાઈ અને તેના માટે શપથ લેવામાં આવેલ હતા.



તેવીજ રીતે કોઠી ખાતે ઉજવણી કરવામાં આવી ,હતી, તમાકુ નિષેધ દિવસનો મુખ્ય હેતુ તમાકુના સેવનથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેના જીવલેણ પરિણામો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
ઉજવણીનો હેતુ અને મહત્વ:
* જાગૃતિ ફેલાવવી: તમાકુનું સેવન કરવાથી થતા ગંભીર રોગો જેવા કે કેન્સર (મોં, ગળું, ફેફસાં, અન્નનળી, મૂત્રાશય, સ્વાદુપિંડ, વગેરે), હૃદય રોગ, સ્ટ્રોક, શ્વાસ સંબંધિત બીમારીઓ (જેમ કે COPD, બ્રોન્કાઇટિસ), ડાયાબિટીસ અને પ્રજનન અક્ષમતા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા..


