વાંકાનેર: સેક્રેટરી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડૂતોભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે વરસાદી વાતાવરણ હોય અને આજ રોજ ગુગલમાં સર્ચ કરતા તા.૧૬/૦૯ ૨૦૨૩ ને શનીવાર થી


વરસાદની શકયતા બતાવતુ હોવાથી ખેડૂતભાઈઓએ પોતાનો માલ વાહનમાં તાલપત્રી કાગળ ઢાંકીને લાવવો અને શેડમાં જગ્યા હશે, ત્યાં સુધી માલ ઉતારવા દેવામાં આવશે. જગ્યા નહી હોય તો વાહન ઉભું રાખવું પડશે; જેની ખાસ નોંધ લેવા વિનંતી. ખેડૂતભાઈઓએ આ સુચનાનો અમલ વરસાદી વાતાવરણ રહે ત્યાં સુધી કરવાનો રહેશે.


દલાલભાઈઓએ પોતાના ખેડૂતભાઈઓને ઉપરોક્ત સુચનાની જાણ કરવા વિનંતી કરાઈ છે.
વધુમાં જે વેપારીભાઈઓનો માલ ખુલ્લી જગ્યામાં હોય તેને પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
