કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

NPK ખાતરની ગુણીએ 380 રૂપિયાનો વધારો

ખાતરની એક ગુણી હવે 1850 રૂપિયામાં મળશે

ઇફકો દ્વારા NPK ખાતરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. NPK ખાતરની 50 કિલોની ગુણી પર 380 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો થયા બાદ ખેડૂતોને ખાતરની એક ગુણી 1470ના બદલે 1850માં મળશે. 2025ના વર્ષથી જ ખાતરના ભાવ વધી રહ્યાં છે. ગત જાન્યુઆરીમાં પણ ઈફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાયો હતો. ખાતરના ભાવ વધતાં ખેડૂતોને સીધી અસર થશે.

ખાતરની તાતી જરૂર છે ત્યારે જ મોંઘવારીનો ડામ
ઈફકોએ ભાવ વધારો કર્યા બાદ કેટલાક ખેડૂતો એ યુરિયા ખાતરની જેમ સબસીડી આપવામાં આવે તેવી માગ કરી છે. આ ઉપરાંત ભાવ વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન નિવડશે. હાલમાં ખેડૂતોને ખાતરની જરૂર છે તેવામાં આ ભાવ વધારો ખેડૂતોની રોજગારી પર અસર કરશે. એક જુલાઈથી આ ભાવ વધારો અમલમાં રહેશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!