વાંકાનેરમાં હાર્ટ અટેક આવતા એક વૃદ્ધનું મોત થયાનું જાણવા મળેલ છે.
વાંકાનેરમાં રાજકોટ રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કાંતિલાલ રણછોડભાઈ વૈદ (૭૪) પોતે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવતા તેઓનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે