લગ્નમા જવા માટે નીકળેલ હતા- રસ્તામાં અકસ્માત નડયો
વાંકાનેર: ગઈ કાલે હાઇવે પર વઘાસીયા ટોલનાકા પાસે મોટર સાયકલ લઈને લગ્નમા જવા નીકળેલ અકસ્માતમાં એકનું મરણ અને એક શખ્સ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વાંકાનેર તાલુકાના વીરપર ગામના રાજકોટ અભ્યાસ કરતા દીપકભાઇ લાલજીભાઇ મકવાણા જાતે અનુ.જાતી (ઉ.વ.૨૩) વાળાએ ફરીયાદ કરેલ છે કે પોતાના પિતા લાલજીભાઈ મોહનભાઇ મકવાણા અને રામજીભાઈ અરજણભાઈ મકવાણા તા.૨૭/૦૧/૨૦૨૪ના બપોરના ફરિયાદીના કુટુમ્બીક કાકા મનોજભાઈ રામજીભાઇ મકવાણાનુ બજાજ પ્લેટીના લઇને ખોડાપીપર ખાતે લગ્નમા જવામા માટે નીકળેલ હતા
સાંજના ચારેક વાગ્યાના સુમારે ફરિયાદીના પીતાજી લાલજીભાઈ આયશર ગાડીમા પાછળના ટાયરમા આવી જતા માથાના તથા શરીરે ગંભીર ઈજા થતા તેમને તથા ઇજાગ્રસ્ત રામજીભાઈને એમ્બયુલન્સમા વાંકાનેર સરકારી દવાખાને લઈ ગયેલ. ફરિયાદીના માતા ગીતાબેન, મોટાબાપુ હીરાભાઈ ડાયાભાઈ, અનીલભાઈ મકવાણા તથા મહેશભાઈ નારણભાઈ સોલંકી વધાસીયા વાળા પણ હોસ્પિટલે પહોંચી ગયેલ. મોરબી તરફ આવતા આયશર ચાલકે પાછળથી ટક્કર મારી મોટર સાયકલ વાળા બંને પાડી દેતા શરીરે ગંભીર ઈજા થતા આયશર ચાલક આગળ મુકી ભાગી ગયેલ છે. તે રજી નંબર GJ-12-BX-3455 વાળુ હતુ. લાલજીભાઈ મોહનભાઇ મકવાણાનું મરણ નીપજેલ છે અને રામજીભાઈ અરજણભાઈ મકવાણા હાલે મોરબી સત્યમ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ છે.