મોરબી : વાવાઝોડા બીપરજોયને કારણે સંચાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોબાઈલ ગ્રાહકો નેટવર્ક ખોરવાઇ જવાની સ્થિતિમાં કોઈપણ ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ દ્વારા જાહેર કરવામા આવ્યું છે.
ચેતવણી: ચક્રવાત “બિપરજોય” અસરગ્રસ્ત વિસ્તારો! જો તમારી સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો તમે હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરો. વાગ્યા થી 17.06.23, રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ
આ અંગેની નીચે મુજબના ટવીટર એકાઉન્ટ પર જઈને વધુ માહિતી જાણો:
ચેતવણી: ચક્રવાત "બિપરજોય" અસરગ્રસ્ત વિસ્તારો! 🌀🌪️ જો તમારી સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો તમે હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરો. વાગ્યા થી 17.06.23, રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ
— Gujarat LSA, Department of Telecommunications (@Guj_LSA_DoT_MoC) June 14, 2023