ડમ્પરીયાની પ્રવેશબંધી કરાશે
વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામ પાસેથી રોજના 200 થી 250 ડમ્પરીયા નીકળે છે, બેફામ ચાલતા આ ડમ્પરીયાના કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે, સરપંચે આ બાબતની અનેક વાર લેખિત રજુઆત કરી છે, પણ વહીવટી તંત્ર કોઈ પગલાં ભરતું નથી, અહીં જો ચોટીલાના મકવાણા સાહેબ જેવા કડક અધિકારી આવે તો જ ખનીજ ચોરી અટકે તેમ છે, 






અત્યારના અહીંના અધિકારીઓથી લોકો નારાજ છે અને ખનીજ ચોરી અટકાવે તેવી આશા જીવંત રહી નથી, મેસરિયાનો 8 કી.મી. નો રસ્તો ઉબડખાબડ છે, પાસ થઇ ગયો છે, પણ કોઈ ટેન્ડર ભરતું નથી, ગામલોકો મળી કોઈ ડમ્પરીયુ રોડે ચડવા નહીં દે, એવી ચીમકી પણ સરપંચે ઉચ્ચારી છે….