રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લ્યે છે
વાંકાનેર: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજનામા વાંકાનેર ખાતે મધ્યમ મજૂર ગરીબ વર્ગના લોકોને આ કારમી મોંઘવારીમાં ફક્ત રૂપિયા પાંચમા બે શાક, રોટલી, અથાણું, ભાત અને ગોળ ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે
તેમાં તારીખ 8/12/2023 ના રોજ અન્નપૂર્ણા યોજનાના ડેટા ઓપરેટર જસદેવ વેકરીયા તેમજ રેખાબેન મુકેશભાઈ માલકીયાએ આપેલ વિગત અનુસાર શ્રમયોગી કાર્ડ જરૂરિયાત મંદ વ્યક્તિઓને અહીં કાઢી આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો આ સરકારી યોજનાનો ₹ 5 માં ભરપેટ ખાવાનું ભોજન મળી રહે તેવા ઉદ્દેશ સાથે સરકારી યોજનાનો લાભ જરૂરતમંદ વાંકાનેર પંથકના લોકો લ્યે, તેમ આયોજકો કાર્યકરોના પ્રયાસો રહ્યા છે.