મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં 

વધુને વધુ જનભાગીદારી થાય તથા સધન ઝુંબેશ થાય તેવા પ્રયાસ થઇ રહયા છે. મનરેગા યોજના અન્વયે વનીકરણ થાય તેવી કામગીરી થઇ રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારી

પારૂલ આડેસરાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અમરાપર ગામમાં સો જેટલા વૃક્ષોનું વાવેતર કબ્રસ્તાન અને સ્મશાન ખાતે કરવામાં આવ્યુ હતુ. આ તકે સરપંચ દિનશાનાબાનુ બાદી, ઉપસરપંચ હિતેશભાઇ મકવાણા, તલાટી વિશાલ સેરસિયા વગેરે ઉપસ્થિત રહયા હતા…
