કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

1 ફેબ્રુ. ની પોરબંદર-દિલ્હી ટ્રેન અજમેર નહીં જાય

રાજકોટ: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શનના બદલે બદલાયેલ રૂટ મારવાડ જંકશન-જોધપુર જંકશન-ડેગાના જંકશન-સાદુલપુર જંકશન-રેવાડી જંકશન થઈને ચાલશે…

નોંધનીય છે કે, મુસાફરોની સુવિધા માટે રૂટ ફેરફાર દરમિયાન, 01 ફેબ્રુઆરી 2025 ના રોજ ચાલતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટને પાલી મારવાડ઼, જોધપુર જંક્શન, મેડ઼તા રોડ જંક્શન, ડેગાના જંક્શન, લાડનૂ, રતનગઢ જંકશન, ચુરૂ જંકશન, સાદુલપુર જંકશન અને લોહારૂ જંકશન સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. -જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝન.

Content Copying Forbidden !!

error: Content is protected !!