વાંકાનેરના શકીલ પીરઝાદાએ ફેસબુક પર 18-8-2023 ના વિરોધ નોંધાવ્યો
ઈમામ શાહ બાવા દરગાહ પીરાણા : અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું સ્થાન કે જે હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. જોકે હિન્દુ અનુયાયીઓએ પીર ઈમામશાહ બાવાનું સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું નામકરણ કર્યું છે. જેને લઈ હવે ઈમામશાહ બાવાના વંશજો અને કોમના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, પીરાણા દરગાહને મંદિરમાં રૂપાંતર કરવાના વિરોધમાં જતા લોકોની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદની સીમમાં આવેલા પીરાણા દરગાહને મંદિરમાં રૂપાંતર કરવાને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ સૈયદ ઈમામશાહ બાવાના વંશજોએ રૂપાંતરના વિરોધમાં આંદોલન જાહેર કર્યું હતું. આ તરફ હવે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી મહેડાવ નજીકથી 50 લોકોને ડીટેઈન કર્યા છે. આ તમામ લોકો મહેડાવમાં મંદિરના વિરોધમાં આંદોલન કરતા હોવાનું સામે આવ્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો ?
પીર ઈમામશાહ બાવાના મૃત્યુની પાંચ સદીઓ પછી જેમનું અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું મંદિર હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. આ તરફ હવે તેમના હિન્દુ અનુયાયીઓએ સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું નામકરણ કર્યું છે. પીરના વંશજો જેઓ સ્થાનિક સૈયદ સમુદાયના છે તેઓએ આ નામ બદલવાનો સખત વિરોધ કર્યો છે.
અન્ય પીરના વંશજોનું શું કહેવું છે ?
ઈમામશાહ બાવાના વંશજોએ કહ્યું કે આ તીર્થસ્થાનને ભગવા કરવાનો પ્રયાસ છે. જેના વિરોધમાં તેઓ શુક્રવારે બપોરે મંદિર પરિસરમાં અનિશ્ચિત ઉપવાસ શરૂ કરશે. ઇમામશાહ બાવા રોઝા સંસ્થાનના ત્રણ મુસ્લિમ ટ્રસ્ટીઓએ ગુરુવારે જિલ્લા કલેક્ટરને તેમના અનિશ્ચિત ઉપવાસની જાણ કરી અધિકારીઓના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી. આ ટ્રસ્ટીઓએ ઉપવાસ પર ઉતરેલા 25 લોકો માટે સુરક્ષાની પણ માંગ કરી છે.
બદલેલા નામનું બોર્ડ લાગ્યું અને પછી….
ઈમામશાહ બાવાના વંશજોએ કહ્યું કે ગવર્નર સહિત વિવિધ સત્તાવાળાઓને કરેલી રજૂઆતમાં કહ્યું કે, ટ્રસ્ટીઓએ હઝરત પીર ઈમામશાહ બાવાની દરગાહ (જેઓ 16મી સદીની શરૂઆતમાં મૃત્યુ પામ્યા હતા) ને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરિત કરવાના “પ્રયાસ” સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે કેટલાક અસામાજિક તત્વોએ 13 ઓગસ્ટના રોજ સમાધિ પર અને તેની આસપાસ દેવતાઓના પોસ્ટરો ચોંટાડ્યા હતા અને 15 ઓગસ્ટે મંદિરની બહાર 25 ફૂટનું હોર્ડિંગ લગાવ્યું હતું. આ હોર્ડિંગમાં ‘ઓમ શ્રી સદગુરુ હંસતેજી મહારાજ અખંડ દિવ્યજ્યોતિ મંદિર’ લખવામાં આવ્યું છે.
ટ્રસ્ટીએ શું કહ્યું ?
આ તરફ સંત માટે હિન્દુ નામ ધરાવતા હોર્ડિંગ્સ પર મંદિરના ટ્રસ્ટીઓમાંથી એક હર્ષદ પટેલે કહ્યું કે, આ સંતનું નામકરણ નથી. મુસ્લિમ ટ્રસ્ટીઓ આવો દાવો કરવામાં આવ્યો તે ખોટું છે. હંસતેજ મહારાજનું નામ 4,000 વર્ષથી વધુ સમયથી શાસ્ત્રોમાં છે. વિવિધ પુસ્તકોમાં ઈમામશાહ બાવાનો હંસતેજ મહારાજ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે બે દિવસ પહેલા જ આ નામનો ઉપયોગ કરીને પોસ્ટરો અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. તે ટ્રસ્ટને “તીર્થધામ પ્રેરણાપીઠ” તરીકે પણ ઉલ્લેખ કરે છે.
નોંધનીય છે કે, પીરાણા મંદિર સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક હતું. જેમાં સંતના મોટાભાગના અનુયાયીઓ હિંદુ હતા જેને સત્સંગી અથવા સતપંથી કહેવાય છે. જોકે મંદિરના મુસ્લિમ ટ્રસ્ટીઓ અને અનુયાયીઓ કહે છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં હિંદુ ઓળખનો દાવો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સુન્ની અવામી ફોરમ નામના મુસ્લિમ સંગઠને પીઆઈએલ દાખલ કરી અને મંદિરની અંદર નવા મંદિરના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે તેણે પૂજા સ્થાનો અધિનિયમ, 1991નો ઉપયોગ કરીને આવા વિકાસ પર પ્રતિબંધની માંગ કરી હતી. સૌજન્ય: વી ટીવી
શકીલ પીરઝાદાની ફેસબુક પરની પોસ્ટ
વાંકાનેરના શકીલ પીરઝાદાએ ફેસબુક પર 18-8-2023 ના વિરોધ નોંધાવ્યો છે. એમણે અગાઉની અને હાલની દરગાહના ફોટા મૂકી લખ્યું છે કે:
આમરણાંત ઉપવાસ ના હેતુઓ
ઇમામશાહ બાવા દરગાહ અમારા પૂર્વજની દગાહ છે. સંચાલન પેહલેથી જ વટલાએલા સતપથીઓ પાસે છે. તે છતાં અમને દરગાહમાં જવા દેવામાં આવતા નથી. ઇમામશાહ બાવા દરગાહ ૬૦૦ વર્ષ જૂની ઐતિહાસીક જગ્યા છે, સર્વ ધર્મના લોકો અહીં શ્રધ્ધા સાથે આવે છે અને સતપંથ સિરાત અલ મુસ્તકીમ (સત્યનો રસ્તો) માં વિશ્વાસ રાખે છે. આ દરગાહ નું અસ્તિત્વ ખતમ કરી શકાય નહિ અને તેનું નામ બદલી શકાય નહિ તેમજ અમારા પૂર્વજ હઝરત ઈમામશાહ બાવાની કબર તોડી શકાય નહિ. આ અગત્ય ના મુદ્દા ધ્યાન માં લઇ પ્રશાસન અમારી આપેલી અરજીઓ ઉપર ધ્યાન આપે ઇમામશાહ બાવા દરગાહ માં હાલ લગાવેલા પોસ્ટર, ફોટા અને બદલેલ નામ નું હોર્ડિંગ તાત્કાલિક હટાવવામાં આવે.