કોઠારીયા (વાંકાનેર) માટે અરજીઓ મંગાવાઈ
મોરબી: કેન્દ્રીય શિક્ષા બોર્ડ અંતર્ગત આવતી જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોના પ્રવેશ માટે દર વર્ષે એડમિશન માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન અરજી મગાવવામાં આવી રહી છે…



ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત શ્રી પી.એમ. સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબીમાં ધોરણ 6 (શૈક્ષણિક વર્ષ 2026-27) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો www.navodaya.gov.in તેમજ https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઇટ પરથી તા.29/7/2025 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિધાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-5 માં શૈક્ષણિક વર્ષ 2025-26 માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. 13/12/2025 (શનિવાર) ના રોજ લેવાશે તેવું આચાર્ય આર.કે. બોરોલે જણાવ્યું છે…
