કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આનંદો! વાંકાનેરને મળશે વંદે ભારત એક્સપ્રેસ

સપ્તાહમાં 6 દિવસ ચાલશે

આ ટ્રેનના નંબર 22925/22926 રહેશે
કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે

વાંકાનેર: જામનગર, રાજકોટ, મોરબી અને વાંકાનેરના યાત્રિકોની સુવિધા માટે આગામી તા.24ને રવિવારના રોજ (કાલેથી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ રહી છે. રેલ યાત્રાના નવા યુગની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 24મી સપ્ટેમ્બર, 2023 ના રોજ (કાલે) જામનગર અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, વંદે ભારતની આકર્ષક એરોડાઈનેમિક ડિઝાઈન, ઈન્ટિરીયર્સ, અદ્યતન સુવિધાઓ, આરામદાયક યાત્રા, સુરક્ષા વ્યવસ્થાપનો અને સુરક્ષિત યાત્રાના ધારાધોરણો સહિતની વંદે ભારત ટ્રેનો યાત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં, પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર – ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ જેવી ત્રણ જોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે.

અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસમાં 7 એસી ચેર કાર અને 1 એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે. એસી ચેર કાર એક્વા કલરના હશે અને ગુલાબી રંગના કોચ એસી એક્ઝિક્યુટિવ ચેર કારના હશે.


22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ ચાલશે, 71 કિમી/કલાકની સરેરાશ ઝડપ સાથે 4 કલાક 40 મિનિટના મુસાફરી સમયમાં 331 કિમી (206 માઇલ)નું અંતર કાપશે. મહત્તમ અનુમતિપાત્ર ઝડપ (MPS) ની પુષ્ટિ વ્યાપારી રન પછી કરવામાં આવશે. ટ્રેન રૂટનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે.

વધુ વિગત માટે લોગ ઈન કરો:

https://en.wikipedia.org/wiki/Ahmedabad_-_Jamnagar_Vande_Bharat_Express#Schedule

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!