જામનગર: મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસા હેઠળની કાર્યવાહીમાંથી મુક્ત કરવામાં આવે અને જલ્દી તેઓને જેલમુક્ત કરવામાં આવે તે માટે ઈન્ડિયન મુસ્લિમ રાઈટના નેજા હેઠળ જામનગર કલેકટરશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને ગ્રુહરાજય મંત્રીશ્રી સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજના પ્રચારક અને પ્રસારક મુફતી સલમાન અઝરી સાહેબ કે જે ઘણા લાંબા સમયથી કાનૂની પ્રક્રિયામાં પસાર થઈ રહ્યા છે અને હાલ તેમના પર પાસા હેઠળ બરોડા જેલમાં તેમને મોકલાવેલા છે તેમના માટે પણ ગુજરાત સરકાર સીએમ અને ગ્રહ મંત્રી દ્વારા તાત્કાલિક રિહા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. આ તકે ઈન્ડિયન મુસ્લિમ રાઈટના અધ્યક્ષ સમીર હુસૈન મલેક , યુસુફભાઈ એ. પરાસરા સામાજિક કાર્યકર અને એસ ટી મા ફરજ બજાવતા મુસ્લીમ અગ્રણી નજમાબેન પઠાણ, હફસાબેન મેમણ, સામાજિક કાર્યકર મુસ્તાક ખુરેશી, નઈમ મીર, જુનેદ સુમરા, સુલતાન માજોઠી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.